હેતુલક્ષી પ્રશ્નો
- v નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધોઃ
1.
નીચેના
પૈકી કયું અશ્મિબળતણ નથી?
A. પેટ્રોલિયમ B.
કોલસો C.
કોયલો (ચારકોલ) D.
કુદરતી વાયુ
ઉત્તરઃ કોયલો
(ચારકોલ)
2.
ખડકોની નીચે સંગ્રહાયેલા
પેટ્રોલિયમની ઉપર વાયુનો જે સ્તર છે તેને શું કહે છે?
A. પેટ્રોલિયમ વાયુ B.
કુદરતી વાયુ C.
કોલગૅસ D.
બાયોગેસ
ઉત્તરઃ કુદરતી વાયુ
3.
કોલસો સળગે ત્યારે કયો વાયુ
ઉત્પન્ન થાય છે?
A. સલ્ફર ડાયૉક્સાઇડ B. હાઇડ્રોજન C. કાર્બન
મોનૉક્સાઇડ D.
કાર્બન ડાયૉક્સાઇડ
ઉત્તરઃ કાર્બન ડાયૉક્સાઇડ
4.
નીચે પૈકી પુનઃપ્રાપ્ય બળતણ કયું
છે?
A. કુદરતી વાયુ B.
બાયોગૅસ C.
પેટ્રોલિયમ વાયુ D.
કોલગેસ
ઉત્તરઃ બાયોગૅસ
5.
પેટ્રોલિયમના ઘટક તરીકે મળતા
બિટ્યુમિનનો ઉપયોગ શો છે?
A. મીણ બનાવવા
માટે B. બળતણ માટે C. ડ્રાયક્લિનિંગ
માટે D. રોડ સમતલ
કરવા માટે
ઉત્તરઃ રોડ સમતલ કરવા માટે
6.
કાર્બનનું શુદ્ધ સ્વરૂપ કયું છે?
A. કોક B. કોલસો C. કોલટાર D. કોલગેસ
ઉત્તરઃ કોક
7.
મૃત વનસ્પતિનાં કોલસામાં ધીમા
રૂપાંતરની પ્રક્રિયાને શું કહે છે?
A. કાર્બોનાઇઝેશન B.
કાર્બોનેશન C.
કાર્બરેશન D.
કાર્બોકેશન
ઉત્તરઃ કાર્બોનાઇઝેશન
8.
નીચેના પૈકી શાનો ઉપયોગ સ્ટીલના
ઉત્પાદનમાં થાય છે?
A. બિટ્યુમિન B. કોલટાર C. કોક D. કોલસો
ઉત્તરઃ કોક
9.
નીચેના પૈકી કોને કાળું સોનું
કહે છે?
A. કોક B. પેટ્રોલિયમ C. પેટ્રોલ D. કોલટાર
ઉત્તરઃ પેટ્રોલિયમ
1 પેટ્રોલિયમના શુદ્ધીકરણ દરમિયાન
શું મળતું નથી?
A. ઊંજણ તેલ B.
પેટ્રોલિયમ વાયુઓ C.
કેરોસીન D.
કુદરતી વાયુ
ઉત્તરઃ કુદરતી
વાયુ
v પ્રશ્ન
2. યોગ્ય શબ્દો
વડે ખાલી જગ્યા પૂરોઃ
પ્રશ્ન 1. હવા
એ ………… સંસાધન છે.
ઉત્તરઃ કુદરતી
પ્રશ્ન 2. કોલસો
અને કુદરતી વાયુ ………. બળતણ છે.
ઉત્તરઃ અશ્મિ
પ્રશ્ન 3. સૂર્યપ્રકાશ
એ ………….. કુદરતી સંસાધન છે.
ઉત્તરઃ પુનઃપ્રાપ્ય
પ્રશ્ન 4. જંગલો
અને વન્યજીવો એ ……….. કુદરતી સંસાધનો છે.
ઉત્તરઃ પુનઃઅપ્રાપ્ય
પ્રશ્ન 5. પેટ્રોલિયમ
અને કુદરતી વાયુમાંથી મળતા ઉપયોગી પદાર્થોને …………. કહે છે.
ઉત્તરઃ પેટ્રોકેમિકલ્સ
પ્રશ્ન 6. પેટ્રોલિયમના
ઘટક ………… રોડ સમતલ કરવા માટે વપરાય છે.
ઉત્તરઃ બિટ્યુમિન
પ્રશ્ન 7. પેટ્રોલિયમનાં
બહોળા વ્યાપારિક મહત્ત્વને લીધે તેને ……….. કહે છે.
ઉત્તરઃ કાળું સોનું
પ્રશ્ન 8. દુનિયામાં
તેલનો કૂવો સૌપ્રથમ અમેરિકાના માં ખોદવામાં આવ્યો.
ઉત્તરઃ પેન્સિલવેનિયા
પ્રશ્ન 9. પેટ્રોલિયમનો
ઘટક ………… જેટપ્લેનના બળતણ તરીકે વપરાય છે.
ઉત્તરઃ કેરોસીન
પ્રશ્ન 10. કોલસામાંથી
કોક બનાવવાની પ્રક્રિયા દરમિયાન આડપેદાશ તરીકે ………….. મેળવવામાં આવે છે.
ઉત્તરઃ કોલગેસ
v પ્રશ્ન
3. નીચેનાં
વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો. ખોટાં વિધાનો સુધારીને ફરીથી લખોઃ
(1) કોક કોલસા કરતાં સખત છે.
(2) પુનઃઅપ્રાપ્ય સંસાધનો માનવ પ્રવૃત્તિઓ દ્વારા
ખલાસ થઈ શકે નહિ.
(3) અશ્મિબળતણો પુનઃઅપ્રાપ્ય કુદરતી સંસાધનો છે.
(4) ડામરની ગોળી કોકમાંથી બને છે.
(5) CNG એટલે કમ્બાઇન્ડ નેચરલ ગૅસ.
ઉત્તરઃ
ખરાં વિધાનો (1), (૩).
ખોટાં વિધાનોઃ (2), (4), (5).
સુધારીને લખેલાં વિધાનો :
(2) પુનઃઅપ્રાપ્ય સંસાધનો માનવ પ્રવૃત્તિઓ દ્વારા
ખલાસ થઈ જશે.
(4) ડામરની ગોળી કોલટારમાંથી બને છે.
(5) CNG એટલે કૉમ્યુસ્ડ નેચરલ ગૅસ.
v પ્રશ્ન
4. નીચેના
પ્રશ્નોના માત્ર ઉત્તર આપો?
પ્રશ્ન 1. પુનઃપ્રાપ્ય
કુદરતી સંસાધનનું એક નામ જણાવો.
ઉત્તર: સૂર્યપ્રકાશ
(અથવા હવા)
પ્રશ્ન 2. સજીવોનાં
મૃતદેહોનાં અવશેષોમાંથી બનેલાં બળતણોને શું કહે છે?
ઉત્તર: અશ્મિબળતણ
પ્રશ્ન 3. કોલસાનું
કયું ઉત્પાદન ધાતુ નિષ્કર્ષણમાં વપરાય છે?
ઉત્તર: કોક
પ્રશ્ન 4. ફૂદાં
અને જીવાતને દૂર રાખવા માટે વપરાતી ડામરની ગોળી શામાંથી બને છે?
ઉત્તર: કોલટાર
પ્રશ્ન 5. પેટ્રોલિયમનો
કયો ઘટક રોડ બનાવવા માટે વપરાય છે?
ઉત્તર: બિટ્યુમિન
v પ્રશ્ન 5. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો:
પ્રશ્ન 1. કુદરતી સંસાધનોનાં બે જૂથ કયાં છે?
ઉત્તરઃ
પુનઃપ્રાપ્ય અને પુનઃઅપ્રાપ્ય કુદરતી સંસાધનો એ કુદરતી સંસાધનોનાં બે જૂથ છે.
પ્રશ્ન 2. પુનઃપ્રાપ્ય કુદરતી સંસાધનોનાં બે નામ આપો.
ઉત્તરઃ
હવા અને સૂર્યપ્રકાશ એ પુનઃપ્રાપ્ય કુદરતી સંસાધનો છે.
પ્રશ્ન 3. જંગલો અને વન્યજીવ કયા પ્રકારનાં કુદરતી સંસાધનો છે?
ઉત્તરઃ
જંગલો અને વન્યજીવ પુનઃઅપ્રાપ્ય કુદરતી સંસાધનો છે.
પ્રશ્ન 4. કોલસો અને પેટ્રોલિયમ જેવાં કુદરતી સંસાધનો શામાંથી બનેલાં છે?
ઉત્તર:
કોલસો અને પેટ્રોલિયમ જેવાં કુદરતી સંસાધનો સજીવોનાં મૃતદેહોનાં અવશેષોમાંથી
બનેલાં છે.
પ્રશ્ન 5. કાર્બોનાઇઝેશન એટલે શું?
ઉત્તરઃ
મૃત વનસ્પતિનાં કોલસામાં રૂપાંતર થવાની ધીમી ક્રિયાને કાર્બોનાઇઝેશન કહે છે.
પ્રશ્ન 6. કોલસામાંથી મેળવાતાં ઉપયોગી ઉત્પાદનોનાં ત્રણ નામ
જણાવો.
ઉત્તરઃ
કોલસામાંથી કોક, કોલટાર
અને કોલગેસ આ ત્રણ ઉપયોગી ઉત્પાદનો મેળવવામાં આવે છે.
પ્રશ્ન 7. કોલગેસનો ઉપયોગ શો છે?
ઉત્તરઃ
કારખાનાંઓમાં કોલગૅસ બળતણ તરીકે
વપરાય છે.
પ્રશ્ન 8. પેટ્રોકેમિકલ્સ એટલે શું?
ઉત્તરઃ
પેટ્રોલિયમ અને કુદરતી વાયુમાંથી મેળવાતા ઉપયોગી પદાર્થોને પેટ્રોકેમિકલ્સ કહે છે.
પ્રશ્ન 9. CNGનો સૌથી મોટો ફાયદો
શો છે?
ઉત્તરઃ
CNG પાઇપલાઇન
દ્વારા ઘર કે કારખાનામાં પહોંચાડી શકાય છે.
પ્રશ્ન 10. PCRA શાનું ટૂંકાક્ષરી છે?
ઉત્તર:
PCRA એ
“ધ પેટ્રોલિયમ કન્ઝર્વેશન ઍન્ડ રિસર્ચ ઍસોસિએશન’નું ટૂંકાક્ષરી છે.
ટૂંકજવાબી પ્રશ્નોઃ
પ્રશ્ન 1. પુનઃપ્રાપ્ય કુદરતી સંસાધનો એટલે શું? ઉદાહરણ આપો.
ઉત્તર:
કુદરતમાંથી અમર્યાદિત જથ્થામાં મળતાં અને માનવપ્રવૃત્તિઓ દ્વારા ખલાસ ન થાય તેવાં
સંસાધનોને પુનઃપ્રાપ્ય કુદરતી સંસાધનો કહે છે. ઉદાહરણઃ હવા, માટી, સૂર્યપ્રકાશ.
પ્રશ્ન 2. પુનઃઅપ્રાપ્ય કુદરતી સંસાધનો એટલે શું? ઉદાહરણ આપો.
ઉત્તર:
કુદરતમાંથી મર્યાદિત પ્રમાણમાં મળતાં સંસાધનોને પુનઃઅપ્રાપ્ય કુદરતી સંસાધનો કહે
છે.
ઉદાહરણઃ જંગલો, વન્યજીવન, ખનીજો.
પ્રશ્ન 3. અશ્મિબળતણ એટલે શું? ઉદાહરણ આપો.
ઉત્તરઃ
સજીવોના મૃતદેહોના અવશેષોમાંથી મળતાં પુનઃઅપ્રાપ્ય સંસાધનોને અશ્મિબળતણ કહે છે.
ઉદાહરણઃ કોલસો, પેટ્રોલિયમ, કુદરતી
વાયુ અશ્મિબળતણો છે.
પ્રશ્ન 4. કોલસાના ઉપયોગો જણાવો.
ઉત્તર:
કોલસો રસોઈ બનાવવા માટે બળતણ તરીકે, તાપવિદ્યુતમથકમાં વિદ્યુત
ઉત્પન્ન કરવા, ઉદ્યોગોમાં
બળતણ તરીકે ઉપયોગી છે.
પ્રશ્ન 5. CNG સ્વચ્છ બળતણ શાથી
ગણાય છે?
ઉત્તર:
CNGનું
સંપૂર્ણ દહન થાય છે અને કોઈ અવશેષ બાકી રહેતો નથી. CNGના
ઉપયોગથી બહુ જ ઓછું પ્રદૂષણ થાય છે.
પ્રશ્ન 6. CNG શું છે? તેનો ઉપયોગ જણાવો.
ઉત્તર:
કુદરતી વાયુનો ઊંચા દબાણ હેઠળ સંગ્રહ એટલે જ દબાણયુક્ત કુદરતી વાયુ (CNG). આ
વાયુને પાઇપલાઇન દ્વારા ઘર કે કારખાનામાં સીધો પહોંચાડી શકાય છે, ત્યાં
દહન માટે ઉપયોગમાં લઈ શકાય છે. હાલમાં CNGનો ઉપયોગ વાહનવ્યવહારના બળતણ
તરીકે થાય છે.
પ્રશ્ન 7. ભારતમાં કયાં સ્થળોએ કુદરતી વાયુ મળી આવે છે?
ઉત્તર:
ભારતમાં કુદરતી વાયુ ત્રિપુરા,
રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ક્રિષ્ણા
ગોદાવરી નદીનાં મુખત્રિકોણ પ્રદેશમાં મળી આવે છે.
પ્રશ્ન 8. પેટ્રોલિયમનું શુદ્ધીકરણ એટલે શું? તે ક્યાં કરવામાં આવે છે?
ઉત્તર:
પેટ્રોલિયમના વિવિધ ઘટકોને અલગ કરવાની પ્રક્રિયાને પેટ્રોલિયમનું શુદ્ધીકરણ કહે છે.
આ ક્રિયા પેટ્રોલિયમ રિફાઇનરીમાં કરવામાં આવે છે.
પ્રશ્ન 9. પેટ્રોકેમિકલ્સના થોડા ઉપયોગો જણાવો.
ઉત્તર:
ડિટર્જન્ટસ બનાવવા, પૉલિએસ્ટર, નાયલોન, એક્રિલિક
જેવા રેસાઓ બનાવવા; પ્લાસ્ટિક
વગેરે બનાવવા પેટ્રોકેમિકલ્સનો ઉપયોગ થાય છે.
વૈજ્ઞાનિક
કારણો આપોઃ
પ્રશ્ન 1. અશ્મિબળતણને
પુનઃઅપ્રાપ્ય કુદરતી સંસાધન ગણવામાં આવે છે.
ઉત્તરઃ
1.
અશ્મિબળતણ એ
સજીવોના મૃતદેહોના અવશેષોમાંથી બનેલા છે.
2.
આ બનવા માટેની
પ્રક્રિયા લાખો વર્ષો સુધી અવિરત ચાલુ રહી.
3.
અશ્મિબળતણનો
જથ્થો મર્યાદિત છે. આ કારણે અશ્મિબળતણને પુનઃઅપ્રાપ્ય કુદરતી સંસાધન ગણવામાં આવે
છે.
પ્રશ્ન 2. પેટ્રોલિયમને
કાળું સોનું કહે છે.
ઉત્તરઃ
1.
પેટ્રોલિયમમાંથી
ઘણાં બધાં ઉપયોગી પદાર્થો મેળવવામાં આવે છે.
2.
આ ઘટકોના ઉપયોગ
બળતણ, ઊંજણ, રંગો, માનવસર્જિત રેસાઓ અને પ્લાસ્ટિકના ઉત્પાદનમાં થાય છે.
3.
જેમ સોનું કિંમતી
ધાતુ છે, તેમ આ કાળું પ્રવાહી ઘણું જ કિંમતી હોવાથી તેને કાળું સોનું કહે છે.
પ્રશ્ન
3. તફાવતના
મુદ્દા આપોઃ
(1) કોલસો અને કોક
(2) LPG અને CNG
યોગ્ય જોડકાં બનાવો:
ઉત્તરઃ
(1) → (c),
(2) → (d), (3) → (b), (4) → (a).
ઉત્તરઃ (1) → (b), (2) → (d), (3) → (a), (4) → (c).
વિસ્તૃત પ્રશ્નો
પ્રશ્ન 1. પેટ્રોલિયમ, કુદરતી વાયુ
અને પાણીનો જમા થયેલો જથ્થો દર્શાવતી રેખાકૃતિ દોરો.
ઉત્તર: રેખાકૃતિ નીચે
મુજબ છે :
પ્રશ્ન 2. કોલટારના
ગુણધર્મો લખી તેના ઉપયોગો જણાવો.
ઉત્તર: કોલટારના
ગુણધર્મો :
1.
તે કાળું ઘટ્ટ
પ્રવાહી છે.
2.
તે અણગમતી વાસ
ધરાવે છે.
3.
તે લગભગ 200 જેટલા કાર્બનિક પદાર્થોનું મિશ્રણ છે.
કોલટારના ઉપયોગો
1.
જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ઉત્પાદનમાં પ્રાથમિક ઘટક
તરીકે.
2.
રંગો, દવાઓ, વિસ્ફોટકો બનાવવા.
3.
સુગંધિત દ્રવ્યો
બનાવવા.
4.
પ્લાસ્ટિક
પેઇન્ટ્સ, ફોટોગ્રાફિક પદાર્થો તથા છત બનાવવા.
5.
ડામરની ગોળી
બનાવવા.
પ્રશ્ન 3 .અશ્મિબળતણોના વપરાશની નુકસાનકારક અસરો જણાવો.
ઉત્તરઃ
1.
અશ્મિબળતણનું દહન થાય
ત્યારે ઉત્પન્ન થતો કાર્બન ડાયૉક્સાઈડ ગ્લોબલ વૉર્મિંગ સાથે સંકળાયેલો છે.
2.
કોલસા જેવા
અશ્મિબળતણના દહન દરમિયાન ઉત્પન્ન થતા વાયુઓ જેવા કે કાર્બન ડાયૉક્સાઈડ, સલ્ફર ડાયૉક્સાઈડ, નાઇટ્રોજનના ઑક્સાઈડ વાતાવરણને પ્રદૂષિત કરે છે.
3.
ઉપરોક્ત વાયુઓ વરસાદના
પાણીમાં ભળી ઍસિડ બનાવે છે, જે ઍસિડવર્યા રૂપે જમીન પર પડે છે અને જમીનને
પ્રદૂષિત કરે છે.
4.
અશ્મિબળતણનું અપૂર્ણ
દહન થાય ત્યારે દહન નહિ પામેલાં કાર્બન રજકણો હવામાં ફેલાય છે, જે માનવીમાં શ્વસનતંત્રના રોગો પેદા કરે છે.
પ્રશ્ન 4. પેટ્રોલ, ડીઝલની બચત કરવા શું કરવું જોઈએ?
ઉત્તરઃ
1.
ચાલીને જઈ શકાય તેવા
સ્થળે પેટ્રોલ કે ડીઝલથી ચાલતાં વાહનોનો ઉપયોગ કરવો જોઈએ નહિ.
2.
બને ત્યાં સુધી એકધારી
અને મધ્યમ ગતિથી વાહન ચલાવવું જોઈએ.
3.
ટ્રાફિક સિગ્નલ આગળ
અથવા તમારે રાહ જોવાની હોય તે સ્થળે વાહનનું એન્જિન બંધ કરવું જોઈએ.
4.
લાંબા અંતર સુધી એક
વ્યક્તિએ જવા માટે પોતાના વાહનને બદલે સાર્વજનિક વાહન, બસનો ઉપયોગ કરવો જોઈએ.
5.
પોતાના વાહનના
એન્જિનની સમયાંતરે ચકાસણી કરાવવી તથા નિયમિત જાળવણી રાખવી જોઈએ.
પ્રશ્ન 5. પેટ્રોલ
અને ડીઝલ જેવાં બળતણોનો ઉપયોગ વિવેકપૂર્ણ રીતે શા માટે કરવો જોઈએ?
ઉત્તરઃ
1.
પેટ્રોલ અને ડીઝલ એ
પેટ્રોલિયમમાંથી મેળવેલા ઘટકો છે.
2.
પેટ્રોલિયમ એ
પુનઃઅપ્રાપ્ય કુદરતી સંસાધન છે. તેને બનતાં લાખો વર્ષો લાગ્યાં છે.
3.
તેનો જથ્થો મર્યાદિત
હોવાથી નજીકના ભવિષ્યમાં ખૂટી જવાની સંભાવના છે.
4.
તેનો અવિચારી અને
બેફામ ઉપયોગ કરવાથી તે જલદી ખૂટી જશે અને વાહનવ્યવહાર ઠપ થઈ જશે.
5.
તેનો કરકસરપૂર્વક અને
વિવેકપૂર્ણ ઉપયોગ કરવાથી આપણી પછીની પેઢીને આ સંસાધનો ઉપલબ્ધ રહેશે તથા અંધકારમય
ભાવિનો સામનો કરવો પડશે નહિ.
....................................................................................................................
JAYESH CHAUDHARI - 8000 66 46 46
No comments:
Post a Comment
Thanks for comment.....!!!